ટ્રિપલ તલાક બિલ પર મોદી સરકારનો મોટો નિર્ણય, મેજિસ્ટ્રેટ આપી શકશે જામીન

કેન્દ્રની મોદી સરકારે ટ્રિપલ તલાક બિલ સંબંધિત સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. હવે મેજિસ્ટ્રેટને એવો અધિકારી આપવામાં આવ્યો છે કે તેઓ આરોપીને જામીન આપી શકે છે. પરંતુ આ અપરાધને સંશોધન બાદ પણ જામીનપાત્ર નથી બનાવવામાં આવ્યો. એટલે કે હજુ પણ બિન જામીનપાત્ર ગુનો જ છે. આ ઉપરાંત, પત્ની તથા તેની બ્લડ રિલેશન ધરાવતા સંબંધોઓને FIR નોંધાવવાનો અધિકાર હશે.
 
ટ્રિપલ તલાક સંશોધને સરકારની મંજૂરી મળ્યા પહેલા સિનિયર વકીલ અને રાજ્યસભા સાંસદ કેટીએસ તુલસીએ કહ્યું કે ટ્રિપલ તલાક જામીનપાત્ર ગુનો પણ ન હોવો જોઈએ. હું તેની વિરુદ્ધ છું. પર્સનલ લોમાં પનીશમેન્ટની જોગવાઈ ન હોવી જોઈએ. એવું થાય તો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે.
 
સંશોધનમાં સુધારાને સરકારે મંજૂરી આપ્યા પહેલા કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ટ્રિપલ તલાકને જો જામીનપાત્ર ગુનો માનવામાં આવે છે તો તેના એક પક્ષમાં સુધારો થશે. તે ભલામણ સકારાત્મક છે. આ સરકાર તરફથી એક સારું પગલું છે પરંતુ તે આંશિક છે. કોંગ્રેસનો વિરોધ ટ્રિપલ તલાકને અપરાધિક કરવાથી છે.
 
આ પહેલા એનસીપી નેતા માજિદ મેનને કહ્યું કે જો ટ્રિપલ તલાકને જામીનપાત્ર અપરાધ માનવામાં આવે છે તો તેનાથી કેટલાકને રાહત થશે. જો ટ્રિપલ તલાક આપવાના દોષી પતિને જેલ મોકલી દેવામાં આવશે તો પીડિત મહિલાનું શું થશે? તેને મેન્ટેનન્સ કોણ આપશે ? ટ્રિપલ તલાક બિલમાં વધુ ફેરફાર કરવાની જરૂર છે. જ્યારે બિલ રાજ્યસભામાં આવશે ત્યારે હું મારો પક્ષ રજૂ કરીશ.
 
અત્રે નોંધનીય છે કે, ટ્રિપલ તલાક બિલને પહેલા બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો હતો. જેમાં દોષી પુરવા થતા ત્રણ વર્ષની જેલ ઉપરાંત દંડ આપવાની જોગવાઈ હતી. કાયદા મુજબ, એક વારમાં ત્રણ તલાક કે તલાક એ બિદ્દત પર લાગુ થશે અને તે પીડિતાને પોતાના તથા સગીરવયના બાળકો માટે ભરણપોષણ ભથ્થુ માંગવા માટે મેજિસ્ટ્રેટ પાસે અરજ કરવાની શક્તિ આપવામાં આવી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.