રાજય સરકારે મગફળી ખરીદી સરૂ આજથી કરવાનૉ નિર્ણય કર્યો હતો પરન્તુ બનાસકાંઠા નાં મોટાભાગ નાં ખરીદ કેન્દ્ર પર હજુ સરકારી બાર દાન ન આવતાં ખરીદી સરૂ થઈ નથી જોકે ડીસા માર્કેટયાર્ડ મા સવારથી જ ખેડુતો મગફળી ભરી ને ટ્રેક્ટરો લાઇન મા કરી દીધાં છે પરન્તુ ખરીદી સરૂ ન થતા ખેડુતો મા રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતોને છેલ્લા કેટલાક વર્ષોથી પોષણક્ષમ ભાવો ન મળતાં સરકારે ગત વર્ષથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. જોકે ગત વર્ષે નાફેડ દ્વારા ટેકાના ભાવની ખરીદી સહકારી સંસ્થાઓ ને આપતા મોટાપાયે ગેરરીતિ થઈ હતી અને વ્યાપક કૌભાંડ બહાર આવ્યું હતું. જેના કારણે સરકારે આ વર્ષે ટેકાના ભાવથી ખરીદી ની જવાબદારી નાફેડ મારફત ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમને સોંપી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 12 માર્કેટયાર્ડોમાં નિગમ દ્વારા ખરીદી કેન્દ્ર શરૂ કરાયા છે. જિલ્લામાં માત્ર ૩૦૦૦ જેટલા જ ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી હતી. આજથી ખેડૂતોનો માલ લેવાનું શરૂ કરવાનું હતું જોકે અનેક માર્કેટયાર્ડોમાં હજુ સુધી બારદાન પહોંચ્યા ન હોય ખેડૂતો ની લાઇન લાગી છે.
ડીસા માર્કેટ યાર્ડ ખાતે શરૂ થયેલા ખરીદ કેન્દ્ર પર સવાર થી જ પુરવઠા વિભાગ અને નિગમના અધિકારીઓ હાજર થઇ ગયા હતા જોકે ૧૦ વાગ્યાથી ખરીદી શરૂ કરવાની હોવા છતાં બારદાન મોડે સુધી આવ્યા ન હોવાથી ખેડૂતોનો માલ લેવાનું શરૂ કરાયું ન હતું.ગોડાઉન મેનેજર એમ એલ અસારી ને પૂછતા તેઓએ નોંધણી બાદ આજથી મગફળી લેવાનું શરૂ કરાશે તેમજ દરેક કેન્દ્ર પર બારદાન પહોંચાડવાની જવાબદારી જિલ્લા પૂરવઠા વિભાગની છે અને તેઓ દ્વારા પાલનપુર થી બારદાન મોકલી દેવાયા છે.જે આવ્યા બાદ ખેડૂતોનો માલ લેવાનું શરૂ કરાશે.જોકે ખેડુતો એ 24 કલાક મા મગફળી નાં નાણા મળી જશે તેં પણ જણાવ્યું હતુ..