રાધનપુર : રાધનપુરમાં વિનોદભાઈ ફટાકડાંવાળાએ તેમના પિતા સ્વ.ધનજીભાઈ લવજીભાઈ કક્કડના સ્મરણાર્થે કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે ગાંધીચોકમાં મિનરલ વોટરની પરબ શરુ કરી છે,જ્યાં દરરોજ બજારમાં ખરીદી કરવા આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપરાંત રાહદારીઓ ઠંડુ પાણી પીને ટાઢક મેળવી રહ્યા છે.બજારમાં અન્ય વેપારીઓ દવારા પણ દુકાન આગળ મિનરલ પાણીના કેરબા જાહેરમાં મૂકીને લોકોને કાળઝાળ ગરમીમાં મદદરૂપ બની રહ્યા છે.