જમ્મુ કાશ્મીરના પુંછમાં બસ ખીણમાં પડતા 27 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. પૂંછથી મંડી તરફ જતી એક બસ ખીણમાં પડતાં 27 લોકોનાં મોત થયાનું જાણવા મળેલ છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશોને બસમાંથી બહાર કાઢવા અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, બસ લૂરથી પૂંછ જઈ રહી હતી. વચ્ચે મંડીની પાસે બસ એક ઊંડા નાળામાં પડી ગઈ હતી. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, બસનો રજિસ્ટ્રેશન નંબર JK02Q0445 છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.