અંબાજી બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી પાલનપુર તરફ આવી રહેલી એસ.ટી.બસને આજે ત્રિશૂળીયા ઘાટ પર અકસ્માત નડતા અફડાતફડી મચી ગઇ હતી. આજે અંબાજીથી પાલનપુર તરફ જઈ રહેલી એસટી બસ અંબાજી અને દાંતા વચ્ચેના ત્રિશૂળીયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી એ વખતે બસની બ્રેક ફેઈલ થઈ જતાં આ બસ ડુંગરની શીલા સાથે અથડાઈ પડી હતી.જોકે આ ઘટના વખતે બસ ડ્રાઇવરે બસને કાબુમાં કરી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને આ બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.