બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ હતી તેવા સમયે વાતાવરણ વાદળ છાયુ બનતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ચ્હે. છેલ્લા કેટલાક દિવસોથી દિવસનું મહત્તમ તાપમાન ૩૪ થી ૩પ ડીગ્રી આસપાસ રહેવા પામ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાનના પારો પણ ૧પ ડીગ્રી આસપાસ રહેતા શિયાળાની મૌસમ જામી રહી નથી આમ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ ડીસા શહેરમાં નોંધાય છે. પણ હજુ સુધી શિયાળાની શરૂઆત થઈ હોવા છતા લઘુત્તમ તાપમાનનો પારો ૧પ ડીગ્રી ઉપર રહેતા માત્ર ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાંય વારંવાર હવામાનમાં થઈ રહેલા ફેરફારના પગલે શિયાળાની મૌસમ જામી રહી નથી રવિવારના દિવસભર આકાશમાં વાદળો છવાયેલા જાવા મળ્યા હતા જેથી ખેડુતોમાં પણ ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે વાદળ છાયા વાતાવરણના કારણે એરંડા, ઘઉં, કપાસ, જીરૂ જેવા અન્ય વાવેતર પર હવામાનની વિપરીત અસર પડી શકે છે જા કે વાદળો વિખેરાતા ઠંડીનો અનુભવ થશે પણ અત્યારે હવામાનમાં થઈ રહેલા ફેરફારના પગલે વાયરલ ઈન્ફેકશનના રોગોનું પણ પ્રમાણ વધ્યું છે. આમ હવામાનમાં થઈ રહેલા ફેરફારથી ખેતીના પાક સહિત માનવ જીવન પર તેની અસર વર્તાઈ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.