બર્થ ડે મનાવવા માટે જઇ રહ્યો પરિવાર ડ્રાઇવરની એક ભૂલના કારણે ગયો મોતના મુખમાં

ડૌસા(રાજસ્થાન) રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 21 પર પીપલખેડાની પાસે સ્કોર્પિયો પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ જતાં  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્ક્રોર્પિયોમાં સવાર 5 લોકોનાં મોત થઈ ગયા અન્ય 5 ઘાયલ લોકો થઈ  ગયા. ઘટના રવિવાર વહેલી સવારેની છે. જાણવા મળ્યું છે કે, દુર્ઘટના ડ્રાઈવરને ઊંઘ આવી જવાના કારણે થઇ છે.  સ્કોર્પિયોમાં સવાર પરિવાર એક પરિવારજનનો બર્થ ડે મનાવવા માટે ગ્વાલિયરથી અજમેર જઇ રહ્યો હતો.    અક્સમાતમાં એવો અવાજ થયો હતો કે અવાજનના કારણે હાઇવે પર આવેલા મકાનના રહેવાસીઓ પણ જાગી ગયા હતા  અને ઘટનાની જાણ પોલીસ તેમજ એમ્બ્યુલન્સને કરવામાં આવી. સબ ઇન્સ્પેક્ટર મહાવીર સિંહે જણાવ્યું કે, ઘટનાના  પગલે 15 પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. તો એક વ્યક્તનું મોત  ડૌસાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. ઘાયલોને ડૌસા અને જયપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.  પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડીને પરિવારજનોને સોંપી દેવાઈ છે.
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.