ધાનેરાના જડીયા ગામે ગોગા મહારાજના મંદિરમાં ચોરી

ધાનેરા તાલુકામાં મંદિરોની ચોરીઓ વધારે થાય છે. અને તેમાં પણ જડીયા ગામે ચોરી ના બનાવો વધી રહ્યા છે. અને એકજ મહીનામાં ચોરીનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે. ૧૮ ઓક્ટોમ્બરની રાત્રીના સમયે કોઇક ઇસમો ગામમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ચોરી કરીને ગોગા મહારાજની ૧૦૪૯ ગ્રામની ચોદીની મુર્તિ લઇને ફરાર થઇ ગયા હોવાના સમાચાર સવારે મળતાં ગામના લોકો ધાનેરા પોલિસ મથકે ફરીયાદ નાંધાવવા માટે આવ્યા હતા. અને અજાણ્યા ઇસમો સામે ગોગા મહારાજની ૧૦૪૯ ગ્રામની ચોદીની મુર્તિ કિ.રુ. ૩૭૦૦૦ ની ચોરીની ફરીયાદ પ્રવિણભાઇ ભુરાભાઇ ચૌધરી એ નાંધાવતા પોલિસે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રવિણભાઇ ચૌધરીએ જણાવેલ કે જડીયા ગામમાં કેટલીયે ચોરીઓ થવા પામી છે જેનો આજ સુધી પોલિસે ઉકેલ લાવ્યો નથી. પરંતુ આ એક મહીનામાં ચોરીનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે, અને પોલિસ કોઇ કાર્યવાહી ન કરવાથી આ તરસ્કરોને મેદાન મોકલુ મળી ગયુ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.