પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે રહેતો અને ૪ દિવસથી ગુમ યુવકનો મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકે આપઘાત કર્યો કે પછી તેની હત્યા કરવામાં આવી તેના રહસ્ય વચ્ચે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના નાનોસણા ગામનો એક ઠાકોર પરિવાર વર્ષો અગાઉ પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામે આવીને રહ્યો હતો. આ પરિવારનો અજયજી ફુલાજી ઠાકોર ચાર દિવસથી ગૂમ થઈ ગયો હતો. જેની પરિવારજનો શોધખોળ કરતા હતા.
દરમિયાન મંગળવારે ગામ નજીક ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં અજયનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જ્યાં ગ્રામજનોનું ટોળુ એકત્ર થઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં ગઢ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાંથી યુવકના મુર્તદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.યુવકે આપઘાત કર્યો કે પછી તેની હત્યા કરવામાં આવી તેના રહસ્ય વચ્ચે પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.