સુસાઈડ નોટમાં લખ્યું, મા મને માફ કરજે, હું તને રડાવીને જાઉં છું

 
 સોમવારે સવારે પોલીસને એક મૃતદેહ મળી આવ્યો. સાગરતાલમાં મૃતદેહ પડ્યો હોવાની સૂચના મોર્નિગ વોક માટે નીકળેલા એક યુવકે પોલીસને આપી. મૃતક 9 નવેમ્બરથી ગૂમ થયેલા 19 વર્ષિય લાલબહાદૂર હોવાનું સામે આવ્યું. બહાદુર ફેક્ટરીમાં નોકરી કરતો હતો. તેના જાન્યુઆરીમાં લગ્ન હતા. મૃતક બહાદુરના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં આત્મહત્યા માટે માની માફી માંગતા લખ્યું છે કે, 'મા હું તને ખૂબ જ પ્રેમ કરૂં છું. તને રડાવીને જાઉ છું. જિંદગીથી પરેશાન છું. એક યુવતીએ મને પરેશાન કરી દીધી છે. બહોડાપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી વિવેક અષ્ઠાનાએ જણાવ્યું કે પોલીસ આત્મહત્યાની દિશામાં જ તપાસ કરી રહી છે.
 
લાલબહાદુરના મોટા ભાઈ સોનૂએ જણાવ્યું કે, 'અમે બંને ભાઈઓ ગુડ્ડીબાઇ સાથે રહેતા હતા. 9 નવેમ્બરે સવારે લાલબહાદુર માને ચાય પિવડાવીને ઘરેથી નીકળો હતો. તે ચાય બનાવવા માટે બજારમાંથી દૂઘ લાવ્યો હતો. આ દરમિયાન તેને દિપાવલી માટે ખરીદેલા ફટાકડાની ઉધારી પણ ચૂકવી હતી' સોનૂએ જણાવ્યું કે, 'લાલબહાદુરનો આડોશપાડોશ કે ફેકટરીમાં કોઈ સાથે ઝઘડો ન હતો. તે શાંત સ્વભાવનો હતો. જાન્યુઆરીમાં તેના લગ્ન થવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી. અમને સમજાતું નથી કે આ શું થઇ ગયું '
 
પ્રાથમિક દષ્ટીએ તો આ કેસ આત્મહત્યાનો હોવાનું સામે આવ્યું છે. મૃતક પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ કેસમાં છેલ્લે યુવક કોને-કોને મળ્યો હતો તેની પૂછપરછ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત કઈ રીતે થયું તે પણ સ્પષ્ટ થઈ જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.