થરાદ માર્કેટયાર્ડ દ્રારા પાંચ મૃતકોના વારસદારોને સહાય ચુકવાઇ

 ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના ૫થી૭૦ વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા એક લાખ અકસ્માત વીમા કવચ લેવાયેલ છે.જે અંતર્ગત થરાદના બુઢણપુરના ઠાકરશીભાઇ જીવરાજભાઇ દલિત,માંગરોળના ખેમજીભાઇ નાગજીભાઇ પટેલ,થરાદ શહેરના રમેશભાઇ કેશરાભાઇ રાવળ,લખાપુરાના વાહજીભાઇ આંબાભાઇ રબારી અને દુધવાના પ્રકાશભાઇ ઇશ્વરભાઇ ઠાકોરનાં આક્સ્મિક મૃત્યુ નિપજ્યાં હતાં.જેમના વારસદારોને થરાદ માર્કેટયાર્ડ ખાતે શુક્રવારે રાજ્યના સિંચાઇમંત્રી પરબતભાઇ પટેલના હસ્તે અને નવનિર્વાચિત બોર્ડ ડિરેક્ટરોની ઉપસ્થિતીમાં એક લાખ રૂપીયાની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ તથા માર્કેટના વેપારીઓ અને અગ્રણીઓ કરણસિંહ ચૌહાણ,ઉમેદસિંહ ચૌહાણ,રૂપસિંહભાઇ પટેલ,નાગજીભાઇ પટેલ,રવજીભાઇ,જેતસીભાઇ,ધનાભાઇ,મદનલાલ,ઓખાભાઇ પટેલ,અખાભાઇ પટેલ,ખાંનાભાઇ પટેલ,ધરમસીભાઇ પટેલ,હેદુજી ઠાકોર,કાળાભાઇ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.