પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ખોટા અફીણના કેસમાં અટકાયત:બનાસકાંઠાના એસપી હતા ત્યારે કેસ બન્યો હતો.
હાલ તેમની સીઆઈડી ક્રાઈમ પુછપરછ કરી રહી છે.
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે અટકાયત કરી છે. તેઓ 1998માં બનાસકાંઠાના એસપી હતા ત્યારે તેમના પર અફીણનો ખોટો કેસ કરવાના મામલે અટકાયત કરવામાં હતી. સત્તાવાર રીતે તેમની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ તેમની સીઆઈડી ક્રાઈમ પુછપરછ કરી રહી છે.રિટાયર્ડ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની સાથે નિવૃત્ત પીઆઈ વ્યાસ સહિત ૭ની અટકાયત કરવામાં આવી હતી. તપાસના અંતે પુરાવા મળતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલે ફરી તપાસનો આદેશ કર્યો હતો.