ડીસા
આવતીકાલ રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિસ્તરણ અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીની ભરતી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે અને ગુજરાતભરના શિક્ષિત બેરોજગારો આ પરીક્ષામાં નસીબ અજમાવનાર છે ત્યારે બનાસકાંઠાના અરજદારો પણ નિયત સમયે જે તે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી પરીક્ષા આપી શકે તે માટે એસ.ટી.નિગમના પાલનપુર વિભાગ દ્વારા અરજદારોને માંગણી મુજબ વધારાની બસસેવા પુરી પાડવાનો નિર્ણય લેવાયો છે.
આવતીકાલ રવિવારે લેવાનાર જાહેર પરીક્ષાઓ માટે બનાસકાંઠામાંથી પણ મોટી સંખ્યામાં અરજદારો નોંધાયા છે.