રાધનપુર : રાધનપુરમાં ચોમાસુ શરુ થતા જ ચારેબાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે,પરંતુ નગરપાલિકા કચેરી પાસે જે ગંદકી છે તે ચોમાસાની દેન નથી પણ ખુદ નગરપાલિકાના સત્તાધીશોની જ દેન છે.કચેરીમાં પ્રવેશ કરવાના મેઈન ગેટ પાસેનો ખાંચો ગંદકીથી ખદબદી રહ્યો છે.આ ખાંચાને આજુબાજુના વેપારીઓ અને નગરપાલિકાની મુલાકાતે આવતા લોકોએ ગંદકીનો અડ્ડો બનાવી દીધો છે.પાલિકાના મુખ્ય ગેટની બહાર દસ મિનિટ ઉભા રહો તો દુર્ગંધથી માથું ફાટી જાય તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.આ બાબતે આજુબાજુ દુર્ગંધનો ભાગ બની રહેલા વેપારીઓએ અવાર-નવાર પાલિકાના સત્તાધીશોને રજૂઆતો કરી હોવા છતાંય બેરા કાને ફરિયાદો અથડાઈને પાછી પડે છે. મુતરડીની સગવડ ના હોવાથી આ ખાંચાને ટાર્ગેટ કરીને ગંદકીનું સામ્રાજ્ય ઉભુ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે.પાલિકા દવારા અત્યાધુનિક મુતરડી બનાવવામાં આવે તો લોકોને અને વેપારીઓને આ ગંદકીના સામ્રાજ્યથી છુટકારો મળે તેમ છે.