વડોદરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે 100 કરોડના ખર્ચે ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજા લોટ્સ ટેમ્પલનું નિર્માણ થઇ રહ્યુ છે. આ પુષ્ટિધામ સંકુલમાં 3 કમલાકારના શિખર બની રહ્યા છે. જેમાં વચ્ચેના શિખરમાં ભગવાન શ્રીનાથજી બિરાજમાન થશે. અન્ય 2 શિખર દર્શન હોલ તરીકે ઓળખાશે. વર્ષ 2013થી રાતદિવસ અવિરત કામ ચાલી રહ્યુ છે જેમાં 200 કારીગરો કાર્ય કરે છે. 7.25 એકર વિસ્તારમાં પુષ્ટિધામનું કમલાકારમાં નિર્માણ થઇ રહ્યું છે. દેશની રાજધાની નવી દિલ્હી બાદ હવે ગોધરામાં દેશનું બીજુ લોટ્સ ટેમ્પલ તૈયાર થશે.