સરપંચના પતિને ધ્વજવંદન સમયે આવ્યો હાર્ટએટેક, ભાષણ સમયે સ્ટેજ પર ઢળી પડતાં મોત

ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ધ્વજવંદન સમયે ગ્રામ પંચાયતની મહિલા સરપંચનાં પતિ તથા પંચાયતના સભ્યને હ્રદય રોગનો હુમલો આવતા સ્થળ પર જ મોત થયું. આ કારણે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
 
ભરૂચનાં શુકલતીર્થ ગામના સરપચ મંજુલાબેનનાં હસ્તે આજે 72માં સ્વાતંત્ર પર્વ નમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. તે ધ્વજ ફરકાવ્યા બાદ પોતાની જગ્યા પર બેઠા હતા. જ્યારે તેમના પતિ ચંદુભાઈ વસાવા જે શુક્લતીર્થ ગ્રામ પંચાયતના સભ્ય છે. તેઓ ધ્વજવંદન અવસરે સંબોધન કરી રહ્યા હતા. આ સમયે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા. અને ત્યાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ગામમાં ઉત્સવને બદલે માહોલ શોકમાં ફરી વળ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.