વાવ ર૦૧૮/૧૯ ના વર્ષમા વાવ તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરતાં વાવના અસારાવાસ ખાતે પશુઓ માટે રાજય સરકાર તરફથી સુકા ઘાસનો ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે. ત્યારે ગત તા. ૧૧/૪/૧૯ ના રોજ અસારાવાસ ખાતે આવેલા સદપુરી દાદાના મંદિર પાસેથી પસાર થતા વીજવાયરનો હેવી વાયર સુકુઘાસ ભરેલી ટ્રકને અર્થીંગ થતાં એકદમ અચાનક આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જા કે ટ્રકના ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ઘાસમાં લાગેલી આગને ટ્રક સહિત પાણીના સમ્પ પાસે લઈ ગયો હતો. જ્યા ગામ લોકોએ પાણીનો મારો ચલાવી તેમજ ફાયરબ્રીગ્રેડની મદદથી આગને કાબુમાં લેવાઈ હતી. આ બાબતે અસારાવાસના રામસંગભાઈ રાજપુતે (વકીલ) જણાવ્યું હતું કે ટ્રકમાં તમામ ૬૦ ગાંસડીઓ બળીને ભીસ્મભુત થઈ ગઈ હતી.