અંતિમ ચરણમાં ૬૦ ટકાથી વધુ મતદાન, હિંસાની ઘણી ઘટના

નવી દિલ્હી : છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા આજે સાતમાં તબક્કાના મતદાનની સાથે જ પૂર્ણ થઇ હતી. હવે ૨૩મી મેના દિવસે સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગે ફેંસલો થશે. ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ શરૂ થઇ હતી. ૧૦મી માર્ચના દિવસે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ લાંબી પ્રક્રિયા શરૂ થઇ હતી. કુલ સાત તબક્કામાં મતદાન યોજાયું છે.  આજે સાતમાં અને અંતિમ તબક્કામાં બંગાળ અને પંજાબમાં હિંસાના છુટા છવાયા બનાવો વચ્ચે ૬૦થી ૬૫ ટકા વચ્ચે મતદાન થયું હતું. ચંદીગઢ અને સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ માટે આજે ૬૦થી ૬૫ ટકા વચ્ચે મતદાન થયું હતું. અંતિમ તબક્કામાં ૧૦.૦૨ કરોડ મતદારો હતા જે પૈકી ૬૦થી ૬૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૯૧૮ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ૧૧૨૯૮૬ મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી.  સાતમાં અને અંતિમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. અંતિમ તબક્કામાં મતદાન દરમિયાન અગાઉના તબક્કાની જેમ શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે પંચે તમામ તૈયારી કરી લીધી હતી.  સાતમા તબક્કાની ચૂંટણીમાં ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના હતા જેમના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઇ ગયા હતા.  ૬૯ ઉમેદવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. આ તમામ ઉમેદવારના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.