બનાસકાંઠાના સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ઉપર સીબીઆઈના અધિકારીએ કથિત લાંચ નો આક્ષેપ કર્યો હતો જે આક્ષેપથી વ્યથિત અને વિચલીત બની તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેથી અવનવી અટકળો થવા લાગી હતી પરંતુ તેઓ અચાનક બનાસકાંઠાના તાલુકા મથક વડગામ ખાતે રાવળ યોગી સમાજ દ્વારા સરસ્વતી કન્યા છાત્રાલયના લાભાર્થે આયોજિત લોકડાયરામાં હાજર રહેતા લોકોએ તેમનું સ્વાગત કરી વધાવી લીધા હતા