રાધનપુર : મહેસાણામાં સેવા સજીવ સેતુ દવારા ચોમાસુ શરુ થતાં જ રાધનપુર રોડ ઉપર સાંઈ ક્રિષ્ના હોસ્પિટલ,મોઢેરારોડ ઉપર સ્વામિનારાયણ મંદિર,વિસનગર રોડ ઉપર આશ્રમ ચોકડી અને નાગલપુર કોલેજ પાસે એમ ચાર કેમ્પ કરીને બે હજાર કરતા વધુ છોડનું વિતરણ કરવામાં આવી ચૂક્યું છે,અને હજુ ઓગસ્ટ મહિના મહિના સુધી અલગ-અલગ જગ્યાઓએ કેમ્પ કરીને તુલસી,દાડમ,લીમડો,ગુલમહોર,સરું,જાંબુડી,સરગવો સહિતના દસ હજાર છોડનું વિતરણ કરવામાં આવનાર છે.સેવા સજીવ સેતુ દવારા મહેસાણા શહેરને ગ્રીનસીટી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.સંસ્થાના પ્રમુખ રાજુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ કેમ્પ દવારા છોડના વિતરણ ઉપરાંત સ્કૂલો-સોસાયટીઓમાં પણ જેને જોઈએ તેમને છોડ આપવામાં આવે છે.લોકોમાં જાગૃતિના કારણે છોડનું વિતરણ વધવા પામ્યું છે.સંસ્થાના યુવા કાર્યકારો પણ છોડના વિતરણ માટે સેવા બજાવી રહ્યા છે.