વાવમાં કેનાલમાં અવિરત ગાબડાં સામે નર્મદાના સત્તાધિશો બેફામ
વાવ પંથકની કેનાલોમાં ગાબડાં પડવાની સમસ્યા રોજીંદી બની ગઇ છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. એક જ દિવસમાં જીલ્લામાં બે કેનાલોમાં ગાબડાં પડતા ખેડુતોની સ્થિતિ દયનિય બની છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનુ ગાબડું તો ભોરોલ માઇનોર કેનાલમાં પણ ગાબડું પડતા ખેડુતોને ભારે નુકશાન થયુ છે.
બનાસકાંઠાની જીલ્લામાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલા કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડ્યુ છે. ખેડુતોનો આક્ષેપ છે કે, કેનાલોની સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડવામાં આવતા વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. તો બીજી તરફ ભોરોલ માઇનોર પણ કેનાલમાં ગાબડું પડતાં ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ઉચપા માઇનોરમાં ૧૦ ફૂટના ગાબડાંથી નર્મદાનું પાણી રાયમલ પ્રજાપતિના ખેતરમાં ફેલાઇ જતાં મોટા નુકશાનની સંભાવના છે.
વાવ પંથકની કેનાલોમાં ગાબડાં પડવાની સમસ્યા રોજીંદી બની ગઇ છે. નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. એક જ દિવસમાં જીલ્લામાં બે કેનાલોમાં ગાબડાં પડતા ખેડુતોની સ્થિતિ દયનિય બની છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનુ ગાબડું તો ભોરોલ માઇનોર કેનાલમાં પણ ગાબડું પડતા ખેડુતોને ભારે નુકશાન થયુ છે.
બનાસકાંઠાની જીલ્લામાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલા કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. વાવની ઉચપા માઇનોર કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડ્યુ છે. ખેડુતોનો આક્ષેપ છે કે, કેનાલોની સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડવામાં આવતા વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. તો બીજી તરફ ભોરોલ માઇનોર પણ કેનાલમાં ગાબડું પડતાં ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. ઉચપા માઇનોરમાં ૧૦ ફૂટના ગાબડાંથી નર્મદાનું પાણી રાયમલ પ્રજાપતિના ખેતરમાં ફેલાઇ જતાં મોટા નુકશાનની સંભાવના છે.