મહે. ડી. જી.પી. ગાંધીનગરનાઓએ આપેલ નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશ આધારે બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એચ.ચૌધરી તથા સી.પી.આઇ. વાય.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો. સબ. ઇન્સ. એ.કે.ભરવાડ શિહોરી પો. સ્ટે. તથા અ. હેડ કોન્સ. હરદાસભાઇ ભારમોલભાઇ તથા પો. કોન્સ. સાગરભાઇ વેરશીભાઇ તથા પો. કોન્સ. ભોજુભા રણઘીરસિંહનાઓ સાથે શિહોરી પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતા. જે દરમ્યાન છેલ્લા દોઢેક વર્ષથી શિહોરી પોલીસ સ્ટેશન સે. ગુ. નં. ૬૮/૨૦૧૭ ના કામના નાસતો-ફરતો આરોપી જીવાભાઇ નાગજીભાઇ રબારી (રહે. વાંસા, તા. હારીજ) વાળો રાનેર આવવાની હકીકત મળતાં રાનેર બસ સ્ટેન્ડથી પકડી પાડી તેને શિહોરી પોલીસ સ્ટેશન લાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.