મેવાડની શૌર્ય ભુમિ કુંભલગઢ, રાજસ્થાનના શ્રી મહારાણા ઉદયસિંહજી ના મહારાણી જીવત કંવરની કૂખે ૯ મી મે ૧૫૪૦ ના જન્મ ધારણ કરનાર,ઇતિહાસમાં વિરતા અને દ્રઢ પ્રાણ માટે અમર રહેનાર મહારાણા પ્રતાપની ૪૭૯મી જન્મ જયંતીની સમગ્ર ભારતવર્ષમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવે છે તેમાં કાંકરેજ તાલુકાના થરામાં ગઈકાલે કાંકરેજ તાલુકા ક્ષત્રિય દરબાર સમાજના નવ યુવાનો દ્વારા થરા સદુભા પાટીમાં આવેલ કચેરીથી ડી.જે.સાઉન્ડના તાલે ઈન્દ્રમાણાના રહેવાસી અશોક બારોટના શૌર્યના ગાન સાથે બાઇક રેલી નીકળેલ જે શ્રી ઝાઝાવડા વાળીનાથ મહાદેવ મંદીર,નગર પાલિકા રોડ,જૂના શાક માર્કેટ,હાઇવે સર્વિસ રોડ,માર્કેટ યાર્ડ ગરનાળુ, હાઇસ્કુલ રોડ, જૈન દાદાવાડી થઇને તેરવાડીયા વાસના ચોકમાં આવેલ પ્રતિમાને ફુલ હાર ચડાવી શ્રધ્ધા સુમન અર્પણ કરી સૌ છુટા પડ્યા હતા.
સમગ્ર કાંકરેજ તાલુકાના ક્ષત્રિય દરબાર સમાજના,તેમજ મહાકાલ સેનાના યુવાનો,વડીલો બહુ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.