ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમ્યાન મુંબઈ કોર્ટ સમક્ષ જુબાની આપવા આવેલા રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા સોપારી ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી ડી.જી.વણઝારા દ્વારા સોહરાબુદ્દીન શેખને આપવામાં આવી હતી. આ હત્યા માટે સોહરાબુદ્દીને હૈદરાબાદના ક્લીમુદ્દીન શાહિદને સાથે રાખી હરેન પંડ્યાની હત્યા કરી હતી. આઝમખાનની આ જુબાની અને આક્ષેપને લઇ જારદાર ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને હરેન પંડયા હત્યા કેસને લઇ ગરમાવો આવી ગયો છે. સોહરાબુદ્દીન હત્યા કેસના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાને પોતાની જુબાની દરમ્યાન ચોંકાવનારા ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે, તેમની ગેંગ દ્વારા હમીદલાલાની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ તમામ ફરાર થઇ ગયા હતા. જા કે, પોલીસે મોડાસાથી તેમની ધરપકડ કરી હતી. તે જેલમાં હતો ત્યારે જાણકારી મળી કે ગુજરાત અને રાજસ્થાન પોલીસે સૌરાબુદ્દીન કાઉન્ટર કર્યું છે. થોડા દિવસ પછી જેલમાં તુલસીરામ પ્રજાપતિ મળ્યો હતો.