માણેકચોકમાં ઓમ ઝવેલર્સમાં કારીગર તરીકે કામ કરતા પિૃમ બંગાળના બે શખ્સા ૨૦ જ દીવસમાં રુપીયા ૧૫.૫૦ લાખનુ સોનુ લઇને ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારણપુરા સ્ટેડીયમ પાસેની વિજયકોલોનીમાં રેહતા દેવાંગભાઇ ડાહ્યાભાઇ સોની (ઉ.વ૩૩)ની માણેકચોકમાં ઓમ ઝવેલર્સના નામથી દુકાન ધરાવી વેપાર કરે છે. તેમની દુકાનમાં ૮ કારીગરો કામ કરે છે. કેટલીક વાર કમિશનથી કામ કરવા માટે પણ કારીગરો કામ કરવા આવતા-જતા હોય છે. ૩ જુલાઇના દીવસે સૌરભ રતિકાંડ મંડલ રહે બેનાપુર ગામ પિૃમ બંગાળમાં તેમજ અશોક રોય નામના સોનાના દાગીના બનાવવાના કારીગરીનુ કામ કરતા હોવાનુ જણાવતાં દેવાંગભાઇ સોનીએ તેમણે નોકરી પર રાખ્યા હતા. જેથી દાગીના બનાવવા માટે સોનુ આ બંન્ને કારીગરો અવાર-નવાર આપતા હતા.૨૨ જુલાઇના સવારે અગિયાર વાગે દેવાંગભાઇએ ૫૩૩ ગ્રામ સોનુ જેની કીંમત આશરે ૧૫.૫૦ લાખ રુપીયા થાય છે. તે આ બંન્ને કારિગરોનો આપ્યુ હતુ.
દેવાંગભાઇના અન્ય કારીગરો દુકાની ઉપરના ભાગે કામ કરતા હતા. આ બંન્ને કારીગરો પણ તેમની સાથે જ કામ કરતા હતા. દેવાંગભાઇ બપોરે સાડા ચાર વાગે દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. ૨૩ જુલાઇએ સવારે અગિયાર વાગે તેમણે દુકાન ખોલીને ઉપર જઇને અન્ય કારીગરોને સૌરભ અને અશોક વિશે પુછતાં તે નહી આવ્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી દેવાંગભાઇએ તે બંન્ને જણાને ફોન કર્યા હતા.પરંતુ તેમના ફોન બંધ આવતા હતા. આ અંગે દેવાગભાઇએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિૃમ બંગાળ સુધી તપાસ શરુ કરી છે.