અંબાજી નજીક 20 ફૂટ ઉંડી ખીણમાં બસ ખાબકી

ગુજરાત સરકારની એસટીની સવારી દિવસેને દિવસે જોખમી બનતી જાય છે, ત્યારે આજે અંબાજી નજીક એસટી બસને અકસ્માતની ઘટના બની છે. અમદાવાદથી અંબાજી જતી ગુર્જરનગરી એસટી બસ ખીણમાં ખાબકી હતી. જો કે સદ્દનસીબે બસમાં સવાર તમામ 45 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
 
આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, ગુર્જરનગરી એસટી બસના ડ્રાઈવરે અચાકન સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સુત્રો કહી રહ્યા છે. આ ઘટનામાં બસના ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 45 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
 
ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગુજરાત પરિવહન નિગમની અમદાવાદથી અંબાજીની ગુર્જરનગરી એસટી બસ અંબાજી નજીક આવેલા રાણપુર પાસેથી પસાર થઇ હતી. ત્યારે રાણપુર ઘાટામાં રસ્તામાં અન્ય એક અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા ડ્રાઈવરનું ધ્યાન તે બાજુ જતા એસટી બસના ડ્રાઇવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પાસે આવેલી 20 ફૂડ ઊંડી ખીણમાં બસ ખાબકી હતી.
 
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થયા હતા. અને બચાવ કામગીરી હાથધરી હતી. બસમાં સવાર 45 જેટલા લોકોને બસમાંથી બહાર કાઢીને સલામત રીતે અંબાજી ખસેડવામાં આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.