લાખણીના આગથળા ગામના 50 વર્ષીય રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પાલનપુર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. આરોગ્ય વિભાગ દ્વારા મૃતકના પરિવારના 25 લોકોને ચેકઅપ માટે લાખણીની સરકારી હોસ્પિટલમાં લવાયા. આગથળા ગામના રમેશજી ઠાકોરના મોત બાદ આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં. અત્યાર સુધી બનાસકાંઠામાં સ્વાઇનફલૂથી 8 મોત થયા.