વાવના રાધાનેસડા,કુંડાળીયા સીમમાં ત્રીજી વખત તીડનું આક્રમણ, ખેડૂતોના પાકોને નુકસાન
વાવઃ વાવ તાલુકાના રાધાનેસડા તેમજ કુંડાળીયા સીમમાં શુક્રવારે ત્રીજી વખત આક્રમણ થતાં ખેડૂતોના પાકોને નુકશાન કર્યું હતું અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. વાવ તાલુકામાં બે વખત તીડનું આક્રમણ થયા બાદ ફરી ત્રીજી વખત વાવના રાધાનેસડા અને કુંડાળીયા ગામની સીમમાં ફરી તીડ આવતાં ખેડૂતોના પાકોને નુકશાન કર્યું હતું. તીડના અચાનક આક્રમણને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. સરકાર દ્વારા હજૂ ખેડૂતોને વળતર પણ અપાયું નથી. ત્યાં ફરી તીડનું આક્રમણ થતાં ખેડૂતોને ફરી પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધાનેસડા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘અગાઉ બે વખત તીડ આવ્યા છતાં અમારા ગામનું સરવે પણ કરાયું નથી અને ફરી ત્રીજી વખત તીડ આવતા મોટું નુકશાન થયું છે. વહિવટી તંત્ર દ્વારા દવા છંટકાવ માટે ટીમો પહોંચી ગઇ છે અને સવારે દવાનો છંટકાવ કરાશે.’