નાયબ મુખ્મમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરોને લઈ નવા વર્ષની શરૂઆતમાં એક મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૫ ટકા ડ્ઢછ મળશે.આપને જણાવી દઈએ કે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે સરકારી કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ૫ ટકાનો વધારો કર્યો છે. જાન્યુઆરીના પગારમાં આ ૫ ટકાનો વધારો ચુકવાશે. ૧ જુલાઈ ૨૦૧૯થી મોંધવારી ભથ્થું ચુકવાશે. આ વધારા સાથે હવે ૧૨ ટકાની જગ્યાએ ૧૭ ટકા મોંઘવારી ભથ્થુ મળશે.આ પગલાથી રાજ્ય સરકાર પર વાર્ષિક લગભગ ૧,૮૨૧ કરોડ રૂપિયાનો બોજ વધશે. ઉપરાંત તેમણે કહ્યું કે ૧ જુલાઈ ૨૦૧૯થી ડિસેમ્બર ૨૦૧૯ સુધીનું એરિયર્સ બેથી ૩ તબક્કામાં ચુકવાશે. એરિયર્સ ચૂકવવાની જાહેરાતનો નિર્ણય ટૂંક સમયમાં કરાશે. એમ નીતિન પટેલે જણાવ્યું છે.