દેશમાં હાલ પંજાબ નેશનલ બઁકના કૌભાંડમાં એક બાદ એક દિગ્ગજોના નામ સપાટી ઉપર આવી રહ્યા છે. ત્યારે સીબીઆઈ તપાસમાં ગુજરાતનાં એક સાંસદ અને કેન્દ્રિય મંત્રીનું નામ ઉછળ્યુ છે. જેમાં તેઓએ રૂ. ૨ કરોડ લીધા હોવાનો આક્ષેપ છે. જેના અહેવાલને લઈ ગુજરાત સહિત દેશભરમાં હાડકંપ વ્યાપી જવા પામ્યો છે. પીએનબી કૌભાંડના આરોપી સતિશ સનાએ કેન્દ્રિય મંત્રીને રૂ. ૨ કરોડ આપ્યા હોવાની કબૂલાત કરી છે. હવે વડાપ્રધાન મોદીના મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતાં ભાજપની છબી ખરડાઇ રહી છે.