પાલનપુરમાં બે બસ કર્મચારીઓ સામે છેડતીની ફરિયાદ નોધાઇ છે. બે દિવસ અગાઉ વડોદરાથી થરાદ જતી બસના કંડકટરે મુસાફરો સાથે અસભ્ય વર્તન કર્યું હતું.દરમિયાન રણુજા દર્શન કરી પરત ફરતા મહિલા દર્શનાર્થીની છેડતી કરતા ફરિયાદ નોધવા પામી છે. આ અંગે મુસાફરોએ ડીસા ડેપો મેનેજરને રજુઆત કરવા જતા હંગામો થયો હતો.જોકે મારના ડરથી કંડકટર ટેબલ નીચે સંતાઇ ગયો હતો.આ મામલે કંડકટર ગણેશ પરમાર અને એ ટી આઈ પૂંજાભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે.સરકારની સલામત સવારી, એસ ટી હમારી ના સૂત્રના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે.