EVMના મુદ્દે અખિલેશ ગાંધીજીના માર્ગે, EC વિરુદ્ધ કરશે ‘બેલેટ સત્યાગ્રહ’

સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી પંચથી EVMને હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. સાથે અખિલેશે એવું પણ કહ્યું કે, આ માંગને લઈને ‘બેલેટ સત્યાગ્રહ’ની તેયારી કરી રહ્યા છે.
 
અખિલેશે ટ્વિટમાં લખ્યું, ‘અમે નિર્ણય કરી લીધો છે કે આગામી ચૂંટણી બેલેટ પેપરથી થાય અને અમે ચૂંટણી પંચથી તેની માંગ કરીશું. અમે આ માંગને લઈને ‘બેલેટ સત્યાગ્રહ’ સુધી કરવા તૈયાર છીએ. દેશ અને લોકતંત્રના ભવિષ્ય માટે અમે સૌને અપીલ કરીએ છીએ કે તે EVMને હટાવવા માટે અમારો સાથ આપે.
 
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી ચૂક્યા છે. હાલમાં કોંગ્રેસે પોતાની વર્કિંગ કમિટીની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વસનીયતા જાળવી રાખવા બેલેટ પેપરને ફરીથી પાછા લાવવો જોઈએ.
 
તેમને કોંગ્રેસના સંકલ્પ પર બોલતા કહ્યું કે, ચૂંટણી પંચે વિશ્વના પ્રમુખ લોકતંત્રોની જેમ ભારતમાં પણ બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવી જોઈએ, જેથી ચૂંટણીને લઈને લોકોમાં વિશ્વાસ બન્યો રહે. તેમને કહ્યું કે, EVMના દુરૂપયોગને લઈને તમામ સવાલ ઉઠ્યા છે, જનતા અને રાજનૈતિક પાર્ટીઓમાં ઈવીએમનો દુરૂપયોગ અને તેના દ્વારા ચૂંટણીમાં હેરફેરને લઈને આશંકાઓ છે, એટલા માટે દેશને બેલેટ પર પાછું ફરવું જોઈએ.
 
કોંગ્રેસ જ નહીં, પરંતુ વિપક્ષની અન્ય પાર્ટીઓએ પણ સમય સમય પર બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગને દોહરાવી છે. હાલમાં આરજેડી નેતા તેજસ્વી યાદવે ઈવીએમ દ્વારા થયેલી ચૂંટણીઓમાં જીત હાંસલ કર્યા બાદ પણ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. એવામાં જો અખિલેશ બેલેટ સત્યાગ્રહ કરશે તો મહાગઠબંધનની અન્ય પાર્ટીઓનો પણ સહયોગ મળી શકે છે, જેમાં એક વાર ફરીથી વિપક્ષને એક થવાનો મોકો મળી જશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.