બનાસકાંઠામાં ભાજપની જીત માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાખી માનતા
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માં જગદંબાની માનતા રાખી છે. ભાજપના ઉમેદવારના વિજય બાદ તેઓ અંબાજી ખાતે આવી પોતાની માનતા પૂર્ણ કરશે.