થરાદમાં બે મકાનમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.૩.૪૫ લાખની મત્તાની ચોરી

 
       
 
 
                                    બનાસકાંઠના સરહદી થરાદ પંથકને છેલ્લા કેટલાક સમયથી બાનમાં લઇને ઘમરોળી રહેલા તસ્કરોએ શિયાળાની ગુલાબી ઠંડીની ચમક વચ્ચે ફરીથી એક વખત શુક્રવારની રાત્રે તરખાટ મચાવતાં શહેરમાં ભય સાથે ફફડાટનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.પ્રાપ્ય માહિતી મુજબ શહેરની શ્રીજી નગર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ સોની શુક્રવારની બપોરના સુમારે પોતાના વતન ચાળવા મુકામે ગયા હતા.
શનિવારે તેમના ઘરના દરવાજા તુટેલા જણાતાં રહીશોએ જાણ કરતાં તેઓ તાબડતોબ દોડી આવ્યા હતા.આ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી.દરમ્યાન દિનેશભાઇના મકાનમાં બે દરવાજાનાં તાળાં તોડી બંન્ને રૂમમાં પ્રવેશ કર્યો હતો.જે પૈકી એકમાં રહેલી તીજોરી તોડી તેમાં રહેલો તમામ સરસામાન વેરવિખેર કરીને તેમાં રહેલા પરિવારના તથા ગ્રાહકોના બનાવવા માટે લાવેલા ૩ તોલા સોનાના દાગીના તથા અડધો  કિલો ચાંદીના દાગીના તથા માતાજીના પુજાની મુર્તી,સિક્કા અને પુત્રના લગ્ન માટે (કમુર્હતાંના કારણે વહેલી) ખરીદેલી સાડીઓ સહિતની  એક વખત શુક્રવારની રાત્રે તરખાટ મચાવતાં શહેરમાં ભય સાથે ફફડાટનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.