સરહદી બનાસકાંઠા જિલ્લામાં જાહેર સ્થળોએ આગની ઘટનાઓ રોકવા માટે ફાયર સેફટીના સાધનો ફરજીયાત રાખવા માટે જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા આપત્તિ નિયમન વિભાગ દ્વારા આવા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જો આવા સાધનો નહિ હોય તો જે- તે વ્યક્તિ, વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બનાસકાંઠા આપત્તિ નિયમન વિભાગના અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં જાહેર સ્થળો જેવા કે હોટલ, ગેસ્ટ હાઉસ, શાળા - કોલેજ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટ્રેન, બસ, ન્યાય સંકુલ, પોલીસ મથક સહિત નાના- મોટા ઉધોગોના સ્થળે આગની ઘટનાઓ બનતી રોકવા માટે ફાયર સેફટીના સાધનો ફરજીયાત રાખવા માટે જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જિલ્લા આપત્તિ નિયમન વિભાગ દ્વારા આવા સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જો આવા સાધનો નહિ હોય તો જે- તે વ્યક્તિ, વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.