આજના સમયમાં પણ શ્રવણકુમાર જેવો દીકરો જીવે છે, જે પોતાના વૃદ્ધ માતા-પિતાની મનોકામના પૂરી કરવા માટે તેમને પોતાના ખભા પર બેસાડીને યાત્રા કરાવવા માટે લઇ જાય છે. આવું જ એક દ્રષ્ય શનિવારે નિમાજ કસ્બામાં જોવા મળ્યું. ભીલવાડા જિલ્લાના શંભુગઢમાં રહેતા 21 વર્ષીય દિનેશ કુમાર મારૂ 18 યાત્રીઓના જૂથ સાથે પોતાના ગામથી પોતાની માતા રામૂદેવીને ખભા પર બેસાડીને રામદેવરાની યાત્રા પર નીકળ્યો છે.
10 વર્ષની ઉંમરમાં કોઇ અન્ય છોકરાને દિનેશ કુમારે તેની માતાને મારતા જોયો હતો. તે જોઇને તેણે એવો સંકલ્પ લીધો હતો કે પોતાની માતાને ખભા પર બેસાડીને રામદેવરા લઇ જશે.
દિનેશ 29 ઓગસ્ટના રોજ પોતાની માતાને ખભા પર બેસાડીને રામદેવરા જવા માટે નીકળ્યો છે. ભીલવાડાથી રામદેવરા 464 કિલોમીટર દૂર છે.