કેનેડા : ટોરોન્ટોમાં ધાણીફૂટ ગોળીબાર, અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા

કેનેડાના ટોરોન્ટોમાં આજે અંધાધૂંધ ગોળીબાર થવાની ઘટના સામે આવી છે. આ ગોળીબારમાં અનેક લોકો માર્યા જવાની અને ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનીક માધ્યમો પ્રમાણ આ ગોળીબાર સ્થાનીક સમયાનુંસાર રવિવારે રાત્રે 10 વાગ્યે ગ્રીકટાઉનના લોગાન એંડ જેનફોર્થ એવન્યૂઝમાં થયો હતો.
 
ઘટનાને નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે તેમને લગભગ બંદૂકની 25 ગોળીઓનો અવાજ સંભળાયો હતો. આ ગોળીબાર ટોરોન્ટોના એક રેસ્ટોરન્ટની બહાર થયો હતો.
 
પોલીસ ચીફ માર્ક સૉન્ડર્સના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 14 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોમાં એક 8 કે 9 વર્ષની બાળકી પણ છે, જેની સ્થિતિ ગંભીર છે.
જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું મોત થયું છે તે હુમલાખોર છે. પરંતુ હજી સુધી કોઈ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
અહેવાલ પ્રમાણે, 6 પીડિતોને ટ્રોમા સેંટર્સ મોકલી આપવામાં આવ્યાં છે જ્યારે અન્યોને સ્થાનિક હોસ્પિટલમાં
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.