રેશનકાર્ડ ધારકો માટે બુરે દિન : એ.પી.એલ.કાર્ડ ધારકોનો કેરોસીનનો જથ્થો બંધ કરાયો

 
સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા વિસ્તાર માં "અચ્છે દિન"ની કાગડોળે રાહ જોતા રેશનકાર્ડ ધારકો તો "બુરે દિન" આવી ગયા હોવાનો અહેસાસ કરી રહ્યા છે. પાલનપુર ના 4068 એ.પી.એલ. રેશન કાર્ડ ધારકોને 1 ડિસેમ્બરથી કેરોસીન નહિ મળે તેવા સરકારના પરિપત્રથી મોંઘવારીના વિષચક્રમાં પીસાતા એપીએલ કાર્ડ ધારકોની ચિંતામાં વધારો થયો છે.
 
ગુજરાત સરકારના અન્ન અને પુરવઠા વિભાગે apl કાર્ડ ધારકો ને 1 ડિસેમ્બર થી કેરોસીનનો જથ્થો નહિ આપવાનું નક્કી કર્યું છે. લોકો રાંધણ ગેસનો ઉપયોગ કરતા થાય અને પ્રદુષણ ઘટે જેને લઈ ને apl કાર્ડ ધારકો એ સ્વ ખર્ચ થી ગેસ વસાવવાનો રહેશે એ હેતુથી apl કાર્ડ ધારકો ને 1 ડિસેમ્બર થી કેરોસીન બંધ થશે તેવું પુરવઠા અધિકારી એસ.જે. ચાવડાએ જણાવ્યું હતું.
 
Apl રેશનકાર્ડ ધારકોને 8 લીટર કેરોસીન મળતું હતું. જે ઘટાડો કરી 4 લીટર કરી નખાયું ત્યારે સરકારના પરિપત્રનો જરૂરિયાત મંદ લોકો વિરોધ કરી રહ્યા છે. અત્યારે ગેસ નો બાટલો 900 રૂપિયા ઉપરાંત છે જે મધ્યમ અને સામાન્ય વર્ગ ને પોષાય તેમ નથી જેને લઈ સરકાર ના આ નિર્ણય નો વિરોધ થઈ રહ્યો છે સામાન્ય વર્ગની જીવાદોરી ગણાતા કેરોસીન બંધના નિર્ણયને લઈ પાલનપુરની જનતામા વિરોધનો સુર ઉઠ્યો છે.
 
સસ્તા અનાજની દુકાનદારો પણ સરકાર ના આ નિર્ણય નો વિરોધ કરી રહ્યા છે.એક તરફ સરકાર ના આ નિર્ણય થી સામાન્ય પ્રજા ની હાલાકી મા વધારો થશે. જ્યારે કેરોસીનનું વેચાણ ઘટવાથી તેમના કમિશન મા પણ ઘટાડો થશે જેને લઈ ને સંચાલકો પણ સરકાર ના નિર્ણય નો વિરોધ કરી રહ્યા છે.
 
એક તરફ સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. રાંધણ ગેસના ભાવ પણ આસમાને છે.ત્યારે 1લી ડિસેમ્બર થી કાર્ડધારકોને કેરોસીન નહીં આપવાના સરકારના નિર્ણયને લઇને સામાન્યથી મધ્યમ વર્ગનો વિરોધ વધ્યો છે. જોકે, કેરોસીન એ ગરીબોની જીવાદોરી ગણાય છે અને જેને બંધ કરવું એ યોગ્ય નથી તેવો મત પ્રવર્તી રહ્યો છે. ત્યારે સરકાર પુનઃ વિચારણા કરે તેવી માંગ ઉઠી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.