ભાજ્પના આ નેતા પ્રેસ કોન્ફરન્સ અધૂરી છોડી કેમ ભાગ્યા ? જાણો કારણ

હાલમાં હાર્દિક ના ઉપવાસ ને લઇને ભાજ્પ ની હાલત નાજુક જણાઈ રહી છે,કરણ કે હાર્દિક ને અનેક દિગજજ નેતાઓ નો સાથ મળી રહ્યો છે,ત્યારે તાજેતર માં ભાજ્પ ના જ સાંસદ શત્રુઘ્ન સિંહા એ ભાજ્પ સરકારની દમનકારી નીતિઓ સામે ચાબખા માર્યા હતાં,તો બીજી બાજુ હાર્દિક ને મળવા આવેલ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ ભાજ્પ ને આડે હાથ લીધી હતી.
 
ત્યારે ગુજરાત ભાજ્પના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ને ઍક પ્રેસ કોન્ફરન્સ મા પત્રકારો દ્રારા હાર્દિક પટેલના અનશન, રાફેલ, પેટ્રોલ, બેરોજગારી, ખેડૂતોને લઈ પૂછવામાં આવતાં યાદવ પ્રેસ કોન્ફરન્સ છોડી ભાગ્યા હતા.
 
મળતી માહીતી મુજબ કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનો જવાબ આપવા આવેલા ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ પ્રેસ અધૂરી છોડી જતાં રહ્યા હતા. કોંગ્રેસ રાષ્ટ્રીય મુદ્દા રાફેલ, પેટ્રોલ, બેરોજગારી, ખેડૂતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. ત્યારે તમામ મુદ્દે ઘેરાયેલી સરકાર અંગે જવાબ આપવાનું ભુપેન્દ્ર યાદવે ટાળ્યું હતું. રાફેલ, શત્રુઘ્ન સિન્હા અને હાર્દિક પટેલનાં જવાબથી બચતાં જણાયા હતા.
 
તો બીજી બાજુ યાદવે પોતાની પ્રેસ કોન્ફરન્સ મા જૂની કેસેટ વગાડી હતી.તો બીજી બાજુ કૉંગ્રેસ પર પ્રહાર કરી આગામી સમયમાં યોજાનાર 2019 ની ચૂંટણીમાં 26 એ 26 બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.