રાજ્યોમાં વધી રહેલા આગના બનાવોના પગલે વધુ એક આગની ઘટના ઉમેરાઇ છે. અમદાવાદના જાણીતા અને રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઇલ માર્કેટમાં ભીષણ આગની ઘટના બની છે. ઘટનાને કારણે 4 જેટલા ફાઇટર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. મોબાઇલ માર્કેટના કોમ્પલેક્ષના બીજા માળે આવેલી મોબાઈલની દુકાનોમાં આગ લાગતા 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આગની ઘટનાના પગલે રિલિફ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળી શક્યા નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવાઇ રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે મોબાઇલના કોમ્પલેક્ષમાં આગ લાગી છે.