મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભાગદોડ મચી હતી

રાજ્યોમાં વધી રહેલા આગના બનાવોના પગલે વધુ એક આગની ઘટના ઉમેરાઇ છે. અમદાવાદના જાણીતા અને રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઇલ માર્કેટમાં ભીષણ આગની ઘટના બની છે. ઘટનાને કારણે 4 જેટલા ફાઇટર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
 
 
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. મોબાઇલ માર્કેટના કોમ્પલેક્ષના બીજા માળે આવેલી મોબાઈલની દુકાનોમાં આગ લાગતા 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
 
આગની ઘટનાના પગલે રિલિફ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર મળી શક્યા નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવાઇ રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે મોબાઇલના કોમ્પલેક્ષમાં આગ લાગી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.