અંકલેશ્વરમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ મોડી આવતાં લોકોએ એમ્બ્યુલન્સનો ઘેરાવ કરી ડ્રાઈવરને માર માર્યો હતો. ઘટનાની વિગતમાં વાત કરીએ તો અંકલેશ્વરના અંસાર માર્કેટ માટે અકસ્માત થયો હતો. જે બાદ લોકોએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. પણ એમ્બ્યુલન્સ આવે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. જેને લઈ રોષે ભરાયેલાં લોકોએ એમ્બ્યુલન્સ મોડી આવતાં ડ્રાઈવરને ઝૂડી નાખ્યો હતો. લોકોનાં જીવ બચાવતી 108 સેવાના કર્મચારી પર આ રીતે હુમલો કરવો એ ખરેખર ગુજરાતની ગરિમાને લાંછન લગાડનાર છે.