અયોધ્યામાં ઉપવાસી સંત પર થયેલા અત્યાચારને એ.એચ.પી અને બજરંગદળે વખોડી કાઢ્યો

 
 
 
પાલનપુર
અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે અનશન પર ઉતરેલા સંતને પોલીસ દ્વારા ઘસેડીને મારઝુડ કરવામાં આવી છે. જેના વિરોધમાં બનાસકાંઠા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા જીલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. બનાસકાંઠા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા જીલ્લા અધિક કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતુ કે, અયોધ્યામાં રામમંદિરના મુદ્દે સાત દિવસથી શાંતિપૂર્ણ રીતે અનશન કરી રહેલા સંતશ્રી પીઠાધિશ્વર મહંત પરમહંસ ઉદાસને સરકારે શનિવારે રાત્રે પોલીસ દ્વારા ટેન્ટની લાઇટો બંધ કરી તેમજ ઘસેડીને મારઝુડ કરી એરેસ્ટ કરવામાં આવ્યા છે. 
ભારતમાં અનશન કરવું તે કોઇ અપરાધ નથી. આવી રીતે સાધુ- સંતો ઉપર સરકારના ઇશારે ખોટી રીતે અત્યાચાર કરવામાં આવે તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કોઇપણ રીતે સાંખી નહી લે અને પુરા દેશમાં આંદોલન કરવામાં આવશે. આ પ્રસંગે જીલ્લા મંત્રી રજનીશ કે. બાપના, પાલનપુર ઉપપ્રમુખ મનીષ બી. ઠાકોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.