ધાનેરામાં પૈસા ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા
તા.પ્રતિનિધિ ધાનેરા
ધાનેરામાં વેપારી વાસ બગીચા લાઈન વિસ્તારમાં આવેલ ગણપતિ મંદિર અને સતીમાતા મંદિરમાં પૂજારી તરીકે કર્મકાંડ કરતા રીટાયર્ડ જમાદાર કાંતિલાલ અમુલખ જાશીને શનિવારે સાંજના સુમારે રસ્તામાંથી એક દફતર જેવી બેગ મેળી હતી. તેઓએ તે કોઈ વિદ્યાર્થીની હશે તેમ સમજી પોતાના સ્કુટર ઉપર ઘરે લઈ જઈ જાતા તેમાં રૂપિયા સાથે અગત્યના કાગળો જાઈ ચોકી ગયા હતા. સાચા માલિકની તપાસ કરતાં આ થેલો કોન્ટ્રાક્ટર જબરાજી સવાજી રાજપુતનો જણાયો હતો. જે તેઓને ઘરે જઈ પરત આપી ઈમાનદારી દર્શાવતા આસપાસના લોકોએ જણાવેલ કે આવા કળીયુગમાં પણ ઈમાનદારી જાવા મળી રહી છે.