બનાસકાંઠા તલાટી મંડળની પત્રિકાથી વિવાદ
બનાસકાંઠા તલાટી મંડળની પત્રિકાથી વિવાદ દાંતાના ધારાસભ્યની બાદબાકી ભાજપી ધારાસભ્યને સ્થાનબનાસકાંઠાનું તલાટી મંડળ ભાજપમય બન્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. અંબાજી ખાતે જિલ્લા કક્ષાનો તલાટીઓનો સ્નેહમિલનનો કાર્યક્રમ છે. અને તેની પત્રિકા વિવાદમાં આવી છે. પત્રિકામાં દાંતાના ધારાસભ્યની બાદબાકી કરવામાં આવી છે. માત્ર ભાજપી ધારાસભ્યોને પત્રિકામાં સ્થાન આપવામાં આવ્યું છે.