વડાલી શહેરમાં આવેલી સિટીસર્વે ઓફીસ બહાર સોમવારે ખુલ્લી રહેશે તેવું બોર્ડ લગાવ્યુ છે છતાં આ કચેરીમાં અધિકારી અનિયમિત આવતા હોવાથી અરજદારો દ્વારા મોટી ફરિયાદો ઉઠી છે
વડાલી શહેરમાં આવેલી સિટીસર્વેની ઓફીસ કયા સમયે ખુલશે તેનું કાંઈ ઠેકાણું નથી જેના લીધે અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે મોંઘવારીના જમાનામાં પોતાના ધંધા રોજગાર છોડીને અધિકારીની વાટ જોઈને બેસી રહેવું પડે છે તો આ બાબતે તંત્ર દ્વારા નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ ઉઠી છે.