શંખેશ્વર તાલુકામાં નર્મદા કેનાલ અને રૂપેણ નદીમાં પાણી છોડવા ઉગ્ર માંગ

શખેશ્વર તાલુકાના વઢિયાર પંથકમાં ચોમાસુ વરસાદ નહિ થતા,ચોમાસુ ખેતી નિષ્ફળ નીવડી હતી જ્યારે શિયાળુ પાકમાં જીરાના પાકનું વાવેતર કરવાનું હોઈ નર્મદા કેનાલમાં પાણીની રાહ જોઇને ખેડૂતો બેઠા છે બીજી તરફ તળાવો ખાલી હોવાથી માલધારીઓ ઢોર તરસે ઝુરી રહ્યા છે ત્યારે નર્મદા કેનાલ અને રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. જો પાણી નહિ છોડવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતીચોમાસુ નિષ્ફળ જતા શિયાળુ પાક લેવા ૧ મહિનાથી ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, જીરા પોંખી દીધા છે,મશીનો ગોઠવી દીધા છે પરંતુ આજ દિન સુધી પાણી નહીં છોડાતા ખેડૂતો રોષે ભરાયા છે અને જો પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વરસાદ નહીં થતા ગામડાના તળાવો પણ ખાલી હોવાથી ઢોર પણ તરસે મરી રહ્યા છે ત્યારે કેનાલના પાણીથી તળાવ ભરવામાં આવે તેવી માંગ કરી છે.
 રતનપુરા ગામના ખેડૂત વનાજી ઠાકોરે જણાવ્યું કે એક મહિનાથી જીરા પોંખી દીધા છે, કેનાલ અને રૂપેણ નદી ખાલી પડી છે. સમયસર પાણી છોડાય તો જીરા પાહન પડી જાય તો પાક થાય નહીં. વારંવાર રજૂઆત કરવા છતાંય હજુ સુધી પાણી છોડાયું નથી. 
શંખેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રહલાદજી ઠાકોર જણાવ્યું કે ખેડૂતો દ્વારા વારવારં રજૂઆતો કરવા છતાંય તંત્ર સાંભળતું નથી.
 તાત્કાલિક રૂપેણ નદીમાં અને કેનાલમાં પાણી છોડાય અને ખેડૂતો સાથે રાજકારણ ના કરશો,ખેડૂતોને જીવવા દો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.