દાંતીવાડાના ડેરી ગામે રીંછે દેખા દેતાં લોકોમાં ફફડાટ
(પ્રતિ.) દાંતીવાડા
દાંતીવાડાના ડેરી ગામમાં છેલ્લા ચાર પાંચ દિવસથી એક રીંછ ગામના પાદરમાં ઘૂસી આવ્યું હતું. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયેલો હતો. રીંછે ગામની પાદરે આવેલ લીમડા ના ઝાડ ઉપર ચઢી ગયું હતું. આથી આ સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.જેથી વન વિભાગની ટીમે રીંછને ઝાડ પરથી મહામહેનતે નીચે ઉતારતાં રીંછે જંગલ તરફ દોટ મુકી હતી. દાંતીવાડાના ડેરી ગામની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં રીંછ રહેલા છે. જેના કારણે વધુ ભયની સ્થિતિ જોવા મળી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકામાં અગાઉ પણ રીંછ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ માનવ વસાહત તરફ ધસી આવ્યા હતા અને લોકોને ઘાયલ કર્યા હોવાની પણ ઘટનાઓ બની છે.