તા. ૨૯/૦૧/૨૦૧૯ ને મંગળવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત બાયસેગ દ્વારા જીવંત પ્રસારણનું પાટણ જીલ્લાના કાર્યક્રમનો શુભારંભ પાટણ જીલ્લાના જીલ્લા શિક્ષણાધિકારી એ.પી. ઝાલા, જયરામભાઇ જાષી, જે.યુ. પ્રજાપતિની ઉપÂસ્થતિમાં શ્રી બી.ડી.એસ. વિદ્યાલય ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ડાp. બી.આર. દેસાઇએ ડી.ઇ.ઓ. તેમજ અન્ય મહેમાનોને કુમકુમ તિલક અને પુસ્તક આપી આવકાર્યાં હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવાનો અને તેમાંથી શીખ લેવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમ શાળામાં તમામ સ્ટાફગણ, ધો. ૧૦ અને ધો. ૧૨ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.