પાટણમાં રવદ ગામે લોટેશ્વર માઈનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું

પાટણમાં રવદ ગામથી પસાર થતી રવદ લોટેશ્વર માઈનોર કેનાલમાં મંગળવારે રાત્રે 10 ફૂટનું ગાબડું પડતા 25 વિઘામાં ઘઉંના અને કપાસના પાકમાં પાણી ફરી વળ્યાં હતાં. જેને લઇ ખેડૂતોનો મહામુલો પાક સંકટમાં મૂકાયો હતો. 
 
રાજપુરા બ્રાન્ચમાંથી પસાર થતી લોટેશ્વર માઈનોર કેનાલ તારોરા, રવદ, પાલીપૂર, લોટેશ્વરની સીમમાંથી પસાર થાય છે.જેમાં રવદ ગામના ખેતર પાસે રાત્રીએ 10 ફૂટનું ગાબડું પડતા 25 વિઘામાં પાણી ફરી વળતા બેટમાં ફેરવાઈ ગયુ હતું. જેમાં 15 વિધા ખેતી પ્લોટમાં ઘઉં વાવણી કરી મુક્યા હતાં અને માંડ માંડ જમીન બહાર ઘઉં નીકળતા હતાં.ત્યારે જ જ્યારે સર્વે નંબર 44મા 10 વિધા કપાસમાં પણ પાણી ફરી વળ્યાં છે. તંત્રને જાણ કરાતા તાત્કાલિક જે.સી.બી.બોલાવી રિપેરીંગ કરવા તંત્ર કામે લાગ્યું હતું. પણ 15 વિધા ઘઉં નિષ્ફળ જતા બિયારણ ખેડ ખાતરનું નુકશાન વેઠવાનો વારો ખેડૂતોના શિરે આવ્યો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.