PM નરેન્દ્ર મોદીને લઈને મોટા સમાચાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા ૧૭ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવખત ૧૭ ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ૧૫થી ૨૨ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં એક સેમિનાર યોજાવવાનો છે. ત્યારે તેમાં હાજરી આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે.
 
પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હોય ત્યારે સુરક્ષાના કારણોસર તંત્ર એક્શનમાં આવી જતું હોય છે. ત્યારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના સમાચાર અહેવાલોમાં પ્રસારિત થતા જ તેમની આગતા સ્વાગતાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
 
૧૫થી ૨૨ ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં એક સેમિનાર યોજાશે. તેમાં ફોરેન ડિપાર્ટમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ વિભાગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં એશિયાના ૧૩૦ દેશ અને આંતરરાષ્ટ્રીય NGOઓ ભાગ લઈ રહ્યા છે. આ સિવાય UNના ડેલીગેટ પણ કાર્યક્રમમાં હાજરી આપવાનું છે ત્યારે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છીએ.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ મહાત્મા મંદિર ખાતે આયોજીત થનારા કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ ફોરેન ડિપાર્ટમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન ૧૫થી ૨૨ ફેબ્રુઆરી સુધી મહાત્મા મંદિરમાં થવાનું છે. જેમા એશિયાના દેશો અને આંતરરાષ્ટ્રીય એનજીઓ ભાગ લેશે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.